સણોસરા ગામના યુવા કાર્યકર્તા શ્રી રામદેવસિંહ ગોહિલે પોતાના 44માં જન્મદિવસ નિમિત્તે મોજશોખ ઉજાણીના બદલે માનવસેવાનું કાર્ય રક્તદાન શિબિર યોજી હતી.
બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગરના શ્રી પ્રભુભાઈ બાંભણિયાના સંકલન સાથે આ રક્તદાન શિબિરમાં અગ્રણીઓ શ્રી ગોકુળભાઈ આલ, શ્રી દિલીપસિંહ ગોહિલ, શ્રી કુરજીભાઈ મકવાણા, શ્રી ઘનશ્યામસિંહ ગોહિલ, શ્રી રાજુભાઈ જાની વગેરેની ઉપસ્થિતિ સાથે શુભેચ્છકો મિત્રોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
કાર્યકર્તા શ્રી રામદેવસિંહ ગોહિલનો જન્મદિવસ 14 તારીખ હોઈ એ અગાઉ 10 તારીખ રવિવારે રક્તદાન શિબિર યોજાયેલ.