માંડવા ગામે રામચરિત માનસ કથા

માંડવા શનિવાર  તા.06-03-2021
     જાળિયાના શિવકુંજ આશ્રમના શ્રી વિશ્વાનંદ માતાજી માંડવા ગામે રામ દરબાર મહિલા મંડળના આયોજન દ્વારા રામચરિત માનસ કથા ગાન લાભ આપી રહ્યા છે. સોમવારથી પ્રારંભ થયેલ રામકથામાં વિવિધ પ્રસંગોની ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. આગેવાન કાર્યકરો મહિલા મંડળના આયોજનમાં સહયોગી બની રહેલ છે.