ઈશ્વરિયા માધ્યમિક શાળામાં સ્વયં શિક્ષણ દિવસ

ઈશ્વરિયા સોમવાર તા.૬-૯-૨૦૨૧
રાષ્ટ્રપતિ રહેલા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસ સંદર્ભે ઈશ્વરિયા ગામે શાળામાં આયોજન કરાયું. ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ફરજ પરના આચાર્ય શ્રી નિતેષભાઈ જોષી અને શ્રી સોનાલીબેન મકવાણાના માર્ગદર્શન સાથે સોમવાર ૬ તારીખે વિદ્યાર્થીઓ દ્વારા કોરોના માર્ગદર્શિકા પાલન સાથે સ્વયં શિક્ષણ દિવસ મનાવાયો હતો.