રાણીની વાવ - વિરાસત સપ્તાહ

      ઈશ્વરિયા શનિવાર તા.૨૧-૧૧-૨૦૨૦
      ૧૯થી ૨૫ નવેમ્બર વિશ્વ વિરાસત સપ્તાહ મનાવાય છે. ગુજરાતનું ગૌરવ રાણીની વાવ એ વૈશ્વિક વિરાસત છે. વિરાસત સપ્તાહના પ્રારંભે સ્થાનિક કર્મચારીઓ દ્વારા પ્રતિક ઉજવણી થઈ. ૧૧મી સદીમાં અણહિલવાડ પાટણના ભીમદેવ સોલંકી પ્રથમના રાણી ઉદયમતીએ આ વિશાળ કલાત્મક વાવનું નિર્માણ કરાવેલ.રાણીની વાવના તમામ ભાગોમાં વિવિધ દેવ દેવી અને અપ્સરા વગેરેના સ્થાપત્ય સૌના માટે આકર્ષણ બનેલ છે. પુરાતત્વ વિભાગ દ્વારા આ વાવ રક્ષિત કરાયેલ છે. 

તસવીર - મૂકેશ પંડિત