ટીંબી : સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાનામાં નિવૃત શિક્ષક દ્વારા દાન

ટીંબી બુધવાર તા,23-10-2019

     ટીંબી સ્થિત સેવા સંસ્થા શ્રી નિર્દોષાનંદજી માનવસેવા દવાખાના દ્વારા યોજાનારા ત્રિસહસ્ત્રદીન કાર્યક્રમ આમંત્રણ આપવા બગસરા ગયેલા સંસ્થાના અગ્રણી શ્રી પરેશભાઈ ડોડીયાને નિવૃત્ત શિક્ષક દાતા શ્રી છેલશંકરભાઈ ત્રિવેદી દ્વારા રૂપિયા એક લાખનું દાન અર્પણ કરાયું છે. આ વડીલ દાતા દ્વારા અગાઉ  પણ દવાખાનામાં રૂપિયા નવ લાખ અપાયા છે, આમ કુલ દસ લાખ રૂપિયા દાન અર્પણ કર્યું છે.