ભાવનગર રેલવે સુવિધાઓ ઉદ્ઘાટન

સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે
ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનું ઉદ્ઘાટન 
 
ભાવનગર
     ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર 9 જાન્યુઆરીના સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનું ઉદ્ઘાટનથયું.
     સ્ટેશનનો પુનર્વિકાસ, પુરુષો અને મહિલાઓ માટે એર કન્ડિશન્ડ વેઇટિંગ રૂમ અને ભાવનગર પરા સ્ટેશન પર પુરૂષો અને મહિલાઓ માટે પ્રતીક્ષાલય, સ્ટેશન સંકુલનું બ્યુટિફિકેશન, સોનગઢ સ્ટેશનના પ્લેટફોર્મ નં.2 ની પૂર્ણ ઉચાઇ, બોટાદ સ્ટેશન પ્લેટફોર્મનો સંપૂર્ણ લંબાઈના કવર શેડ, વરતેજ, ખોડીયાર મંદિર, સણોસરા, ઉજલવાવ, અલમપર, નિંગાળા અને જાલિયા સ્ટેશનો પર દિવ્યાંગજનનો શૌચાલયની સુવિધાનુ લોકાર્પણ ભાવનગરના સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાલના હસ્તે થયું.
     ભાવનગર ટર્મિનસમાં તેમજ ભાવનગર સર્કલના અન્ય નાના-મોટા સ્ટેશનો પર કરવામાં આવતા અન્ય વિકાસ કામો અંગે સાંસદે સંતોષ વ્યક્ત કર્યો હતો.
     આ પ્રસંગે મંડલ રેલવે મેનેજર શ્રી પ્રતીક ગોસ્વામી,  વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી માશૂક અહમદ, વરિષ્ઠ મંડલ ઇંજીનિયર (સમન્વય) શ્રી સી.એસ. હંસેલિઆ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.