કોરોના મહામારી સંદર્ભે
ભાવનગરમાં પટેલ સમાજ સંસ્થાઓ દ્વારા સામગ્રી વિતરણ
ભાવનગર
ભાવનગરની પટેલ સમાજની સંસ્થાઓ હંમેશા સામાજિક સહાય માટે તત્પર જ હોય છે. કોરોના મહામારી સંદર્ભે પણ સંસ્થાઓના આગેવાન કાર્યકર્તાઓના માર્ગદર્શન સાથે અસરગ્રસ્ત પરિવારો માટે ખાદ્ય સામગ્રી વિતરણ થઈ રહ્યું છે.
કુદરતી કે માનવસર્જિત આફતોમાં ભાવનગરની આ સંસ્થાઓ હંમેશા અગ્રેસર રહી છે. તાજેતરની કોરોના મહામારી સંદર્ભે અસરગ્રસ્ત પરિવારો માટે રોજગારની ઉભી થયેલી સંકટ ભરી પરિસ્થિતિમાં પટેલ સમાજ સંસ્થાઓ દ્વારા સધિયારો અપાઇ રહ્યો છે.
ભારત સરકારે કોરોના વાયરસના કારણે ૨૧ દિવસનું લોક ડાઉન નિયંત્રણ જ્યારે મુકયું છે ત્યારે રોજનું લાવીને રોજનું ભરણ પોષણ કરનારા માણસની મુશ્કેલીઓ વધી છે. સરકારશ્રીએ પણ ચિંતા વ્યક્ત કરી યોગ્ય પગલાં ભર્યા છે, તેમ છતાં ભાવનગર શહેર માં ખરેખર મુશ્કેલી વાળા પરિવાર માટે ઘઉં, ચોખા, તુવેર દાળ, જેવી ચીજવસ્તુઓ સાથે આશરે ૨૦ કિલો જેટલું કરીયાણા વગેરે સાથે રૂપે 500 થેલા બનાવવાનું કામ સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ તથા શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ ભાવનગર દ્વારા કરાયું છે. કોરોના વાયરસ ના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ વ્યક્તિઓને આ સામગ્રી વિતરણ ની તૈયારી કરવામાં આવી છે.
આ કાર્યમાં સંસ્થાના આગેવાનો શ્રી કાકડીયા, શ્રી રમેશભાઈ મેંદપરા, શ્રી જાગાણી, શ્રી બટુકભાઈ માંગુકિયા, શ્રી પટેલ, શ્રી રમણીકભાઈ મીયાણી , શ્રી રસિકભાઈ ઝાલાવાડીયા , શ્રી રાજુભાઈ રાબડીયા તેમજ શ્રી માણીયા સાહેબ ,શ્રી જીગ્નેશભાઈ ગાબાણી , શ્રી ગીરીશભાઈ પાચાણી , શ્રી હાર્દિકભાઈ ઈટાલીયા વગેરે સંકલન જહેમતમાં રહ્યા છે.