સિહોર બેંક દ્વારા રાહતનિધીમાં અર્પણ

કોરોના મહામારી સંદર્ભે

સિહોર નાગરિક સહકારી બેંક દ્વારા રૂ. એક લાખ મુખ્યમંત્રી રાહતનિધીમાં અર્પણ

સિહોર

કોરોના મહામારી સંદર્ભે સિહોર નાગરિક સહકારી બેંક  દ્વારા રૂ.૧ લાખ મુખ્યમંત્રી રાહતનિધીમાં અર્પણ કરાયા છે.

સિહોર પ્રાંત કચેરી ખાતે  સિહોર નાગરિક સહકારી બેંક. લી. દ્વારા રૂ.એક લાખનો ચેક સિહોર પ્રાંત અંધિકારી શ્રી રાજેશ ચૌહાણને સિહોર નાગરિક સહકારી બેંકના ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રી રાજેન્દ્રભાઇ.ડી.જાની, જનરલ મેનેજરશ્રી ડી. એન.વાળા તેમજ વી.જે મહેતાની ઉપસ્થિતિમાં અર્પણ કરાયો હતો.

ચેરમેનશ્રીએ કોરોના સંદર્ભે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન સૌ નાગરિકો સરકારશ્રી દ્વારા આપવામાં આવતી વખતો વખતની સૂચનાઓનું પાલન કરે, અફવાઓથી દૂર રહે તેમજ સાવચેત રહે તેમ જણાવી લોકડાઉન દરમિયાન ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.