શામપરા(સીદસર) ગામે સ્વાતંત્ર્ય પર્વ

ભાવનગર જિલ્લાનાં શામપરા(સીદસર) ગામે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી જેવાં વિર સપુતો થકી જ રાષ્ટ્ર એકતાના બંધને બંધાયુ હતુ - શિક્ષણમંત્રીશ્રી ચુડાસમા

ભાવનગર

    આજે સવારે ભાવનગર જિલ્લાનાં શામપરા(સીદસર) ગામે ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ હતી,આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધ્વજવંદન કરી સલામી ઝીલી હતી અને જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી જેવાં વિર સપુતો થકી જ રાષ્ટ્ર એકતાના બંધને બંધાયુ હતુ.

    શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધ્વજવંદન કરી સલામી ઝીલી હતી અને જણાવ્યું હતું કે ૭૩મા સ્વાતંત્ર્ય પર્વના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ છે ત્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લઘુમતી સમાજની બહેનોને તીન તલાક બાબતે સલામતી આપતો ઐતિહાસિક નિર્ણય કરી સૌના સાથ થકીજ સૌનો વિકાસ શકય છે તે સિદ્ધ કર્યુ છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી જેવાં વિર સપુતો થકી જ રાષ્ટ્ર એકતાના બંધને બંધાયુ હતુ. એક ભારત શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા અને આતંકના આકાઓને જડબાતોડ જવાબ આપવા દેશના પ્રધાનમંત્રી અને ગ્રુહમંત્રીની જોડીએ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી તે દર્શાવે છે કે કેન્દ્ર સરકાર લોકોને આપેલાં વચનો પુરા કરવા માટે  પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે સેવાસેતુ, મા અમૃતમ, વ્હાલી દિકરી યોજના, ૧૭ પ્રકારના એન. ઓ. સી. ઓનલાઈન કરી અને લોકસેવાની આહલેક જગાવી છે, પાણી પ્રભુનો પ્રસાદ હોવાથી તેનો કરકસરપુર્ણ ઉપયોગ, ૧૦ કરોડ છોડ રોપી તે ઝાડનું સ્વરૂપ ધારણ કરે ત્યાં સુધી તેની જાળવણી કરવી તે એકમાત્ર ગ્લોબલ વોર્મિગનો ઉપાય રાજ્ય સરકારે અમલમાં મુક્યો છે. ઉપસ્થિત જનસમુદાયને અનુરોધ કરતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે જન્મ દિવસ અને મરણતિથિએ છોડ રોપી તેનું જતન કરવાથી તેની શુભ અસરો આવનારા સમયમા જોવા મળશે.

      આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, ટ્રાફિક પોલીસ, અશ્વદળ, મહિલા પોલીસ, જિલ્લા પોલિસ તેમજ હોમગાર્ડ ના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગા ને સલામી આપી હતી.

       આ પ્રસંગે મંત્રીશ્રીએ ભાવનગર જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલને ભાવનગર ગ્રામ્ય તાલુકાના વિકાસ અર્થે રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો, તેમણે આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમત માં સિદ્ધિ મેળવેલ ખેલાડીઓનું સન્માન કર્યુ હતું અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લાનાં સામુહિક આરોગ્ય કેન્દ્રોને કાયાકલ્પ એવોર્ડ, જિલ્લા હોમગાર્ડ્ના સાર્જન્ટ, સર. ટી. હોસ્પિટલના અધિકારીનું, જિલ્લાની મામલતદાર,પોલીસ, પ્રાંત, પી. જી. વી. સી. એલ, તાલુકા પંચાયત કચેરીનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યુ હતું. મીઠાપર ગામે લોકોના જીવ બચાવવાની કામગીરી કરવા બદલ જિલ્લા ડીઝાસ્ટર ટીમનુ, આખલોલ જકાતનાકા અકસ્માત દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ નાયબ મ્યુનિસીપલ કમિશનરશ્રી એન. ડી. ગોવાણીનુ પણ સન્માન કરવામા આવ્યુ હતુ. 

     આ પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રજુ કરનારા વિધાર્થીઓનું પણ મંત્રીશ્રીએ સન્માન કર્યુ હતુ, માન. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યુ હતુ, સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી મિતુલભાઈ રાવલ એ કર્યુ હતુ. 

     આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્યો સર્વશ્રી આર. સી. મકવાણા, શ્રીકનુભાઈ બારૈયા, શ્રીપ્રવિણભાઈ મારૂ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણા, ઉપપ્રમુખશ્રી ગોહિલ, બાંધકામ સમિતીના ચેરમેનશ્રી ગૌતમ ચૌહાણ, કારોબારી સમિતીના ચેરમેનશ્રી ભરત હડીયા, રેન્જ આઈ. જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસ, જિલ્લા પોલીસ અધિક્ષશ્રી જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી ચૌધરી, ગ્રામ્ય મામલતદારશ્રી કે. એમ. સંપટ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઠાકર, શ્રીચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તાવિયાડ, શ્રીરહેવર, તિજોરી અધિકારીશ્રી પાદશાહ સહિત જિલ્લાની સંબંધિત કચેરીઓના અધિકારી સહિત લોકો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.