સણોસરામાં આયુર્વેદિક દવાખાનું શરુ થાય તો આજુબાજુના ગામોના દર્દીઓને લાભ થાય ઈશ્વરિયા
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઘણી કામગીરી થઈ .રહી છે. તાજેતરની કોરોના બિમારીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદિક પદ્ધતિ અસરકારક રહ્યાનું જણાયું છે. આ પરિસ્થિતિમાં સણોસરામાં આયુર્વેદિક દવાખાનાનું શરૂ થાય તો આજુબાજુના ગામોના દર્દીઓને લાભ થાય તેમ છે. તાજેતરની કોરોના બિમારીમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ પર ભાર મુકાયો છે. આ બિમારીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદિક પદ્ધતિની આવશ્યકતા જોવા મળી છે.
સરકારના આરોગ્ય વિભાગ આયુષ મંત્રાલય દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઘણી કામગીરી થઈ રહી છે. આ સાથે છેવાડાના ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તબીબી સેવા સારવારનો લાભ દર્દીઓને મળી રહ્યો છે. સણોસરામાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે આયુર્વેદિક સુવિધા પ્રાપ્ત થાય તે આવશ્યક છે.
કોરોના બિમારી જેવી પરિસ્થિતિમાં જો આયુર્વેદિક દવાખાનાનો લાભ મળે તો વ્યક્તિ બિમાર પડે તે પહેલા જ પોતાની તબિયતને સ્વસ્થ શકશે તેમાં શંકા નથી. આથી સણોસરામાં આયુર્વેદિક દવાખાનાની જરૂરિયાત છે, અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જ આ દવાખાનાને સામેલ કરવામાં આવે તો સણોસરા સહીત ઈશ્વરિયા, કૃષ્ણપરા, ઢાંકણકુંડા, સાંઢિડા, સરવેડી, પાડાપાણ, સરકડિયા, ઝરિયા, પીપરડી, ભૂતિયા, ગઢુલા, પાંચતલાવડા તથા વાવડી સહીત આજુબાજુના ગામોના દર્દીઓને આ ચિકિત્સા પ્રણાલીનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ થાય તેમ છે.