ભાવનગર શાસ્ત્રીય વાધ્ય સંગીત ઉત્સવ

ગુજરાત રાજ્ય રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી વર્સેટાઈલ મ્યુઝીક એકેડેમી દ્વારા

ભાવનગર ખાતે શાસ્ત્રીય વાધ્ય સંગીત ઉત્સવ-૨૦૧૯ યોજાયો

શિક્ષણ રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

 

ભાવનગર

ગુજરાત રાજ્ય રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી વર્સેટાઈલ મ્યુઝીક એકેડેમી દ્વારા યશવંતરાય નાટ્યગ્રુહભાવનગર ખાતે શાસ્ત્રીય વાધ્ય સંગીત ઉત્સવ-૨૦૧૯ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી દવેએ જણાવ્યુ હતું કે વ્યક્તિના જીવનમાં સંગીતનું અનેરુ મહત્વ હોય છે.તેમણે ભાવનગરના આંગણે શાસ્ત્રીય સંગીતના આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકારોના  કાર્યક્રમનું આયોજન કરવા બદલ શ્રી જે. એમ. ભટ્ટ, જીગ્નેશ શેઠની પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા તબલા સોલો, સીતાર વાદન સહિતના શાસ્ત્રીય વાધ્ય સંગીત રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવામા આવ્યા હતા.

ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, પુર્વ સાંસદશ્રી રાજુભાઈ રાણા, ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના ચેરમેનશ્રી પંકજ ભટ્ટ,જુનાગઢ યુનિ.ના વાઈસ ચાન્સેલરશ્રી ચેતન ત્રિવેદી, મેયરશ્રી મનહરભાઈ મોરી, નાયબ મેયરશ્રી અશોક બારૈયા,શાસકપક્ષના નેતાશ્રી પંડ્યા, મ્યુ. કમિશ્નરશ્રી એમ. એ. ગાંધી, સ્ટે. કમીટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ, શિક્ષણ સમિતીના ચેરમેનશ્રી નિલેશ રાવલ, શ્રી જીગ્નેશ શેઠ  સહિતના મહાનુભાવો, શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.