સાયકલ યાત્રા કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

સુરતથી અંબાજીની સાયકલ યાત્રાએ નીકળેલ યુવાનોએ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી

ગાંધીનગર

     રોજિંદા પરિવહનમાં ટૂંકા અંતર માટે જો સાયકલનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય પણ સારું રહે અને પર્યાવરણના રક્ષણમાં પણ તે ઉપયોગી થઈ પડે. આ અંગે જાગૃતિ માટે યુવાનો અને વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા 'Go-Green' પહેલ કરવામાં આવી છે, જેમાં તેઓ જુદા-જુદા સ્થળોની સાયકલ યાત્રા કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ફેલાવે છે. હાલ સુરતથી અંબાજીની સાયકલ યાત્રાએ નીકળેલ આ યુવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી હતી.

      આ યાત્રા દરમ્યાન યુવાનોએ ૨૩૦ વૃક્ષો પણ વાવ્યા છે. સમયની માંગને અનુરૂપ આવી ઊર્જામય પહેલ બદલ મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને બિરદાવ્યા હતા અને તેમના કાર્યમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી.