ખજૂરાહો ખાતે જળ સંમેલનમાં આમંત્રણ

ખજૂરાહો ખાતે રાષ્ટ્રિય જળ સંમેલનમાં

કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતને આમંત્રણ

જળપુરૂષ શ્રી રાજેન્દ્રસિંઘજી સાથે શ્રી અન્ના હજારે માર્ગદર્શન આપશે

ભાવનગર બુધવાર તા.૨૯-૧૧-૨૦૧૭

     ખજૂરાહો ખાતે રાષ્ટ્રિય જળ સંમેલનમાં ઈશ્વરિયાના કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતને આમંત્રણ મળતા સામેલ થશે. અહી જળપુરૂષ શ્રી રાજેન્દ્રસિંઘજી સાથે અન્ના હજારે માર્ગદર્શન આપશે.

     રાષ્ટ્રીયકક્ષાએ જળ જન જોડો અભિયાન અંતર્ગત આગામી શનિવાર તા.૨ તથા રવિવાર તા.૩ દરમિયાન બુંદેલખંડના ખજુરાહો ખાતે રાષ્ટ્રિય જળ સંમેલન યોજાશે. ‘દુષ્કાળ મૂક્ત ભારત હેતુ જળ સરંક્ષણ તથા નદી પૂનર્જીવન’ વિષય પર આ સંમેલનમાં અભિયાનના પ્રેરક જળપુરૂષ શ્રી રાજેન્દ્રસિંઘજી સાથે શ્રી અન્ના હજારે માર્ગદર્શન આપશે. આ સંમેલનમાં ઈશ્વરિયાના કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતને આમંત્રણ મળતા સામેલ થશે. અહી કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી શ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાનાર છે.

     ઉલ્લેખનીય છે કે, શ્રી પંડિત રાષ્ટ્રિય નદી નીતિ સૂચિત બંધારણ સાથે પણ જોડાયા હતા તથા ગુજરાતમાં નદી નીતિ અમલી કરવા ગુજરાત સરકાર સાથેની બેઠકોમાં પણ મહત્વની ભૂમિકામાં રહ્યા છે. અગાઉ બિહાર સરકાર દ્વારા પણ તેઓને દિલ્હી ખાતેની રાષ્ટ્રિય કાર્યશાળા બેઠક માટે સામેલ કરાયા હતા.