બોટાદ - અમદાવાદ રેલમાર્ગ રૂપાંતરણ બાદ
ભાવનગરને અનેક ગાડીઓનો લાભ મળવાનો
ભાવનગર રેલ મંડળમાં અત્યારે રજૂઆતો - માંગણી નિરર્થક
ઇશ્વરિયા રવિવાર તા. 16-12-2018
ભાવનગર રેલ મંડળમાં અનેક રજૂઆતો થઈ રહી છે, રાજકીય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ભાવનગરથી દિલ્હી, હરિદ્વાર તેમજ રામેશ્વર વગેરે સ્થળો સુધીની ગાડીઓની અત્યારે માંગણી સાવ નિરર્થક છે. બોટાદ - અમદાવાદ રેલમાર્ગ રૂપાંતરણ કાર્ય પૂરું થયા બાદ અનેક ગાડીઓનો લાભ ભાવનગરને મળવાનો છે.
રેલતંત્રના કોઈ ઉચ્ચ અધિકારી આવે કે કેન્દ્ર સરકારનું અંદાજપત્ર આવવાનું હોય ત્યારે રાજકીય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા હરખપદુડા થાયને ભાવનગરથી ડીહલ્લી, હરિદ્વાર તેમજ રામેશ્વર વગેરે સ્થળો સુધીની ગાડીઓ શરુ કરવા રજૂઆતો થતી રહે છે, પરંતુ આ ગાડીઓની અત્યારે માંગણી સૌ નિરર્થક છે, જે રજૂઆત કરનારા જાણતા નથી.
ભાવનગર રેલ મંડળમાં આવી અનેક રજૂઆતો થઈ છે, થઈ રહી છે... પરંતુ આજની સ્થિતિમાં કઈ રીતે ગાડી મળે ? ભાવનગરથી બોટાદ અને સુરેન્દ્રનગર થઈ અમદાવાદ અને આગળ ગાડી જાય તે રેલતંત્ર માટે સમયપત્રક તથા બોટાદ - અમદાવાદ રેલમાર્ગ શરુ થાય ત્યારે સુરેન્દ્રનગર માટે આ લાંબા અંતરની સુવિધા બંધ કરવી પડેતે વિવાદનું કારણ બની શકે છે. બોટાદ - અમદાવાદ રેલમાર્ગ શરુ થાય ત્યારે પણ જો સુરેન્દ્રનગર થઈને લાંબા અંતરની ગાડી ચાલુ રહે તો સમય અને ભાડાના વધારા સામે પણ અસંતોષ રહે, જેથી તે પણ તે સમયે બરાબર ના રહે તેથી અત્યારે એ સેવા સ્વાભાવિક શરુ ના કરી શકાય.
પુરા દેશમાંથી અમદાવાદ ખાતે રેલ સેવા જોડાયેલી છે, અમદાવાદ રેલ મથક પર આ કેટલીયે ગાડીઓને ઉભી રાખવા જગ્યા અપૂરતી છે, જે અમદાવાદથી રાજકોટ, ભાવનગર કે ભુજ તરફ ધકેલવાંમાં આવે તે જે તે પંથકો માટે સુવિધા મળે અને અમદાવાદ રેલ મથકની જગ્યામાં રાહત મળે.
આમ. બોટાદ - અમદાવાદ રેલમાર્ગ રૂપાંતરણનું કામ પુરજોશથી ચાલી રહ્યું છે, જે પૂરું થયે અમદાવાદથી બોટાદ થઈ ભાવનગરની સીધી રેલ સેવા પ્રાપ્ત થઈ શકશે. આથી અત્યારે જે રજુઆત કે માંગણીઓ છે તે નિરર્થક જ છે. રેલ માર્ગનું કામ પૂરું થયે ભાવનગરને માટે વગર માંગણીએ અનેક ગાડીઓ પ્રાપ્ત થવાની છ. એક દોઢ વર્ષ બાદ એ સુવિધા મળશે તેમાં કોઈ શંકા નથી જ. રજૂઆતો નહીં રાહ રાહ જુઓ પુરા દેશ માટે ભાવનગરથી ગાડીઓ મળશે.