કથા અને સંતોનો સંગ આપણા અજ્ઞાનનો
નાશ કરે છે - શ્રી વિશ્વાનંદમયી
ગાયત્રી મંદિર - ઘુમલી ખાતે શ્રીમદ્ ભાગવત વિરામ
જાળિયા
શ્રી વેદમાતા ગાયત્રી સેવા સમિતિના આયોજન તળે ગાયત્રી મંદિર - ઘુમલી ખાતે યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથા શનિવારે વિરામ પામેલ છે.
ગાયત્રી મંદિર સંચાલિકા વડા શ્રી શોભનાબેન જોષી માતાજીના નેતૃત્વ સાથે શ્રી વેદમાતા ગાયત્રી સેવા સમિતિના કાર્યકર્તાઓના આયોજન તળે શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ, જેમાં ગુરુ આશ્રમ -બગદાણાના શ્રી મનજીબાપાનું માર્ગદર્શન રહ્યું. આ સાથે નાની બોરુના શ્રી માડીનું સંકલન રહ્યું. ગાયત્રી મંદિર ખાતે શનિવારે ભાવ ભક્તિ સાથે આ કથા વિરામ પામી.
કથા દરમિયાન શ્રીમદ્ ભાગવતના વિવિધ પ્રસંગોના વર્ણન વક્તા શ્રી વિશ્વાનંદમયીદેવી ( શિવકુંજ આશ્રમ - જાળિયા ) દ્વારા ગીત સંગીત અને ભાવ સાથે કરાયા. તેમણે કહ્યું કે કથા અને સંતોનો સંગ આપણા અજ્ઞાનનો - અંધારાનો નાશ કરે છે.
ગીતસંગીત વૃંદમાં શ્રી જીતુબાપુ ગોંડલિયા, શ્રી રોહન ભટ્ટી, શ્રી ગોપાલ સાવલિયા, શ્રી શ્યામલદાસ હરિયાણી, શ્રી ગૌતમભાઈ ગોંડલિયા, શ્રી નટુભાઈ પરમાર તથા શ્રી જયદીપગીરિ ગોસ્વામી રહ્યા હતા. કથામાં આવતા વિવિધ પ્રસંગોની ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી.
શ્રી શોભનાબેન માતાજીના સાધના સ્થાનમાં સંતો, મહંતો અને આગેવાનો પણ કથામાં જોડાયા હતા. ભાવિક શ્રોતાઓ માટે ભોજન પ્રસાદની પંગતમાં બેસાડી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. રસોડામાં ગુરુ આશ્રમ બગદાણાના સ્વયંસેવકોની ટુકડીએ સેવા બજાવી હતી.
આ કથામાં લોકડાયરો, સંતવાણી, કાંન -ગોપી નૃત્ય, રક્તદાન શિબિર, દંતરોગ યજ્ઞ વગેરે આયોજનોનો પણ લાભ મળ્યો. કથા વિરામ સાથે શનિવારે અહીં ૐકારેશ્વવર મહાદેવના પાટોત્સવ પ્રસંગે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો.