પીવાના પાણી અંગેની ફરિયાદ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૯૧૬ ઉપર નોંધાવી શકશે
ભાવનગર
ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે ‘૧૯૧૬’ ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવેલ છે.
આ ટોલફ્રી નંબર પર પીવાના પાણી અંગેની ફરિયાદો નોંધવાની વ્યવસ્થા ૨૪ કલાક કાર્યરત છે. જાહેર જનતાને આથી અપીલ કરવામાં આવે છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લગતી ફરિયાદો જેવી કે, હેન્ડપંપ રીપેરીંગ, મીની પાઈપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઈપણ ફરિયાદ નોંધાવી શકે છે.
જાહેર જનતાને એવી પણ વિનંતી કરવામાં આવે છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ આ નંબર પર ફરિયાદ નોંધાવી શકે છે.
ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. જેમાં કોઈ પણ વ્યક્તિ ws.gujarat.gov.in વેબસાઈટના New Complaint સેક્શન મારફતે નવીન ફરિયાદ નોંધાવી શકે છે.
જો કોઈ કિસ્સામાં ટોલ ફ્રી નંબર ‘૧૯૧૬’ વ્યસ્ત જણાય તેવા કિસ્સામાં અન્ય નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૯૪૪ ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાશે.