લોકભારતી સણોસરા ખાતે
'દર્શક' વ્યાખ્યાનમાળા સાથે
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ
ઈશ્વરિયા
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે બુધવારે દિવસે શ્રી મનુભાઈ પંચોલી 'દર્શક' વ્યાખ્યાનમાળા સાથે પૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો છે.
સણોસરા ખાતે ચિંતક સર્જક શ્રી મનુભાઈ પંચોલી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળાના સોળમા મણકાનું વ્યાખ્યાન બુધવાર સવારે તા.29ના સવારે યોજવામાં આવેલ છે, જેમાં અર્થશાસ્ત્રી પ્રાધ્યાપક શ્રી હેમંતભાઈ શાહ 'દેશના વિકાસની દશા અને દિશા' વિષય પર વ્યાખ્યાન આપશે.
વ્યાખ્યાનમાળા સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં શ્રી ગજરાબેન ચૌધરી ( સમાજ સેવા ), શ્રી રવીન્દ્રભાઈ અંધારિયા ( શિક્ષણ - સાહિત્ય ), શ્રી વિનોદભાઈ મકવાણા ( શિક્ષણ - ગ્રામવિકાસ ), તથા શ્રી વિનોદભાઈ કેવરિયા ( સાહિત્ય - પ્રચાર )નો સમાવેશ થાય છે.
લોકભારતી સણોસરાના આ વ્યાખ્યાનમાળા તથા સન્માન કાર્યક્રમ માટે સંસ્થાના વડા શ્રી રઘુવીરભાઈ ચૌધરી, શ્રી અરુણભાઈ દવે અને નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારી આયોજનમાં રહ્યા છે.