બાળકોના મૃત્યુ સરકારની બેદરકારી

અમદાવાદ ખાતે  થોડા જ કલાકોમાં અનેક બાળકોના મૃત્યુ

સરકારની ગુન્હાહિત બેદરકારી  - શ્રી શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ

     સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે છેલ્લા થોડા જ કલાકોમાં અનેક બાળકોના મૃત્યુ થયા છે તે સરકારની ગુન્હાહિત બેદરકારીની કારણે થયા છે.ચકાસણી દરમ્યાન માલુમ પડ્યું કે સરકારની ગ્રાન્ટ આવવા છતાં નાના બાળકોને જે પ્રવાહી ખોરાક આપવો જોઈએ તે અમદાવાદ સિવિલમાં આપવામાં આવતો જ નથી.આશા અને આંગણવાડી કાર્યકરબહેનોને તેમનું કામ કરવા દેવાના બદલે સરકારના પ્રસિદ્ધિના તાયફાઓમાં જ રોકી રાખવામાં આવે છે.

    કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલે મહાલેખાકારના ઇન્સ્પેકશનનાં રીપોર્ટની નકલ પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ કરીને જણાવ્યું હતું કે, ઇન્સ્પેકશનના રીપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પીટલના ઇન્સ્પેકશન રીપોર્ટમાં સ્પષ્ટ રીતે નોંધાયું છે કે બાળકોના આરોગ્ય માટે અત્યંત જરૂરી વ્યવસ્થા સિવિલ હોસ્પીટલમાં નથી. સિવિલના નિઓ નેટલ આઈસીયુ વોર્ડ ( તાજા જન્મેલા બાળકોનો વોર્ડ ) ૨૪ કલાક બાળકોની સંભાળ જરૂરી હોય છે. તાજું જન્મેલ બાળક ઉલ્ટી કરે, તેને તાવ આવે કે તકલીફ થાય તો તે ફરિયાદ કરી શકતું નથી માટે ૨૪ કલાક મોનેટરીગનાં CCTV લગાડવા અને અદ્યતન ટેકનોલોજીની સહાય લેવા તા:૧૮/૧૨/૨૦૧૩ તથા તા: ૧૨/૦૬/૨૦૧૫ નાં રોજ જણાવેલ હોવા છતાં કોઈ જ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. હાલમાં પ્રસુતિ વોર્ડ તથા તાજા જન્મેલા બાળકોના વોર્ડ CCTV વગરના જ છે જેની સાબિતી રૂપે બંને વોર્ડની વિડીયો પણ પ્રેસ અને મીડીયાને દર્શાવવામાં આવી હતી.
     મહાલેખાકારના ઈન્સ્પેકશન રીપોર્ટમાં સ્પષ્ટ લખાયું છે કે, ગંભીર પરિસ્થિતિનાં દર્દીઓ માટેના આઈસીયુ/ ટ્રોમા કેર સેન્ટર ખુબ જ સંવેદનશીલ છે. બરાબર ઉષ્ણતામાન રહેવું જોઈએ અને ચેપ નાં લાગે તે માટે પુરતી વ્યવસ્થા જોઈએ . પરંતુ અમદાવાદની સિવિલ હોસ્પીટલના ટ્રોમાં સેન્ટરમાં એ.સી. વારંવાર રિપેરમાં રહે છે. ડસ્ટ ફિલ્ટર્સ/એર ફિલ્ટર્સ ખુબ જ જરૂરી હોય તે ટ્રોમા સેન્ટરમાં આપવામાં આવેલ જ નથી.
     ઇન્સ્પેકશન રીપોર્ટમાં નોંધેલ છે કે, ચકાસણી દરમ્યાન માલુમ પડ્યું કે સરકારની ગ્રાન્ટ આવવા છતાં નાના બાળકોને જે પ્રવાહી ખોરાક આપવો જોઈએ તે અમદાવાદ સિવિલમાં આપવામાં આવતો જ નથી. નાણા બાળકોને ફળનો જ્યુસ, સૂપ, દૂધ પૌવા વિગેરેમાંથી કંઇ જ અપાતું નથી. ઇન્સ્પેકશન દરમ્યાન માલુમ પડેલ કે હોસ્પિટલમાં સફાઈ બરાબર થતી નથી. એમ્બ્યુલન્સ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને આપવામાં રાખવામાં આવેલ છે પરંતુ એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સીસ્ટમ જ નાખવામાં નથી આવી.

     સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે છેલ્લા થોડા જ કલાકોમાં અનેક બાળકોના મૃત્યુ થયા છે તે સરકારની ગુન્હાહિત બેદરકારીની કારણે થયા છેતેમ શ્રી શક્તિસિંહ ગોહિલે રોષ સાથે જણાવ્યું છે.
     સગર્ભા મહિલાની તપાસ કરીને ત્રીજા મહિનાથી જ સરકારે તેમની કાળજી લેવાની હોય છે. સગર્ભા મહિલાને પુરતું પોષણ અને આયર્ન આપવાનું હોય છે. પરંતુ સરકાર આ કામની ઉપેક્ષા કરે છે તેથી કુપોષણ વાળા બાળકો જન્મે છે. અને મૃત્યુને ભેટે છે. સગર્ભા મહિલાની તપાસ અને દેખભાળ આશા વર્કર તથા આંગણવાડીની બહેનોએ કરવાની હોય છે પરંતુ ગુજરાતમાં ભાજપની સરકાર આશા વર્કર અને આંગણવાડી કાર્યકરનું શોષણ કરે છે. તેઓને પુરતો પગાર નથી અને કાયમી સરકારી કર્મચારી તરીકે તેમને ગણવામાં આવતા નથી. એટલું જ નહીં આ સરકાર આશા અને આંગણવાડી કાર્યકરબહેનોને તેમનું કામ કરવા દેવાના બદલે સરકારના પ્રસિદ્ધિના તાયફાઓમાં જ રોકી રાખવામાં આવે છે.