related topics
કૃષ્ણ તીર્થ સ્થાન દ્વારકામાં શ્રીમદ ભાગવત કથા
શ્રી રાજેન્દ્રગીરીજી ગોસ્વામી કથામૃત પાન કરાવશે
સોમવાર તા.28-12-2020
પવિત્ર તીર્થ નગરી દ્વારકામાં સોમવારથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે.
શ્રી કૃષ્ણને પ્રિય માગશર માસમાં પવિત્ર કૃષ્ણ તીર્થ સ્થાન દ્વારકામાં આગામી સોમવારથી શ્રી મદ ભાગવત કથાનું આયોજન થયું છે, જેનો લાભ શ્રોતાઓને ઘર બેઠા લઈ શકાશે. વ્યાસપીઠ પર કથાકાર શ્રી રાજેન્દ્રગીરીજી ગોસ્વામી બિરાજી કથામૃત પાન કરાવશે. તારીખ 4 સોમવારથી તારીખ 10 રવિવાર દરમિયાન યોજાનાર આ કથાનું પ્રસારણ લક્ષ્ય ચેનલ તેમજ દયાગીરીબાપુ યુ ટ્યૂબ પરથી થશે.