અમરેલી : તમામ લોકોએ નિયત ચેકપોસ્ટ

અમરેલી જિલ્લામાં તમામ લોકોએ નિયત ચેકપોસ્ટ ઉપરથી જ પસાર થવાનું રહેશે -  કલેકટર શ્રી આયુષ ઓક

અમરેલી 

રાજ્ય સરકાર દ્વારા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં દાખલ થવા માટેની ઈ-પાસ સિસ્ટમ રદ કરી હોવાથી લોકો જિલ્લાઓ વચ્ચે પાસ વગર મુસાફરી કરી શકશે. પરંતુ તમામ લોકોએ નિયત ચેકપોસ્ટ ઉપરથી જ પસાર થવાનું રહેશે તેમ અમરેલી જિલ્લા કલેકટર દ્વારા તાકીદ કરવામાં આવી છે. અહીં તેમનું મેડિકલ સ્ક્રીનીંગ કે કોરેન્ટાઈન કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ ૬૫ થી વધુ ઉંમરના વડીલો, ૧૦ વર્ષથી નીચેના બાળકો, સગર્ભા બહેનો તેમજ ગંભીર બીમારી ધરાવતા લોકોને મેડિકલ ઈમરજન્સી સિવાય બહાર નીકળવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

અમરેલી જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક દ્વારા કરાયેલી તાકીદ મુજબ બે  જિલ્લા વચ્ચે અથવા તો જિલ્લાની અંદર ૧૯ કલાક થી ૭ કલાક સુધી મેડિકલ ઈમરજન્સી સિવાયની તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ છે.