ભાવનગર;ગુરૂવાર
જિલ્લા નિરીક્ષક જમીન દફતર, ભાવનગરના જણાવાયા અનુસાર શિહોર તાલુકાના સરકડીયા(સોન) ગામે તા.૪/૧૧તથા ૫/૧૧ ના રોજ, રાજપરા(ટાણા) ગામે તા. ૦૭/૧૧ તથા ૮/૧૧ ના રોજ,ઉમરાળા તાલુકાનાં ઉમરાળા ગામે તા. ૦૯/૧૧,૧૦/૧૧ તથા ૧૧/૧૧ના રોજ દડવા(રાંદ) ગામે તા.૧૫/૧૧ ૧૬/૧૧ તથા ૧૭/૧૧ના રોજ,પાલીતાણા તાલુકાનાં મોખડકા ગામે તા.૧૮/૧૧ તથા ૧૯/૧૧ના રોજ માળીયા ગામે તા. ૨૧/૧૧ ના રોજ, આંકોલાડી ગામે તા. ૨૨/૧૧ તથા ૨૩/૧૧ ના રોજ,ગારીયાધાર તાલુકાનાં વિરડી ગામે તા. ૨૪/૧૧,૨૫/૧૧તથા ૨૬/૧૧ના રોજ સવારે ૧૦/૦૦ કલાકે સોંપાયેલી ફરજો અનુસાર જે તે ગામે સર્વેયર હાજર રહી એજ્યુડીકેશન કાર્યક્રમ અંતર્ગત ગામોના ખાતેદારોને એલ એમ પી નોટીસ બજાવેલ હતી તેના વાંધા મળવાથી આ વાંધાઓનો નિકાલ કરશે.આ કાર્યક્રમ દરમ્યાન માપણીની તારીખો આપવામાં આવશે નહિ જેની સંબંધિતોએ નોંધ લેવી.
જિલ્લા માહિતી કચેરી, ભાવનગર