લોકભારતી સણોસરા ખાતે સંગીત કાર્યક્રમ

લોકોમાં ખૂશીનો સંચાર થાય તે મારા 
સંગીતનો  હેતુ છે.
- સંગીતકાર શ્રી વિશ્વમોહન ભટ્ટ
સ્પીકમેકે અંતર્ગત લોકભારતી સણોસરા ખાતે સંગીત કાર્યક્રમ

ઈશ્વરિયા 
સ્પીકમેકે અંતર્ગત લોકભારતી સણોસરા ખાતે યોજાયેલ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ આપતા સુખ્યાત સંગીતકાર શ્રી વિશ્વમોહન ભટ્ટે કહ્યું કે, લોકોમાં ખૂશીનો સંચાર થાય તે મારા સંગીતનો હેતુ છે. 
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે સોમવારે રાત્રે સુખ્યાત સંગીતકાર શ્રી વિશ્વમોહન ભટ્ટે શાસ્ત્રીય સંગીતમાં વિદ્યાર્થીઓ તથા સંગીત રસિકોને ઝુમાવ્યા હતા. તેમણે વિવિધ રાગની સમજ સાથે પ્રસ્તુતિ કરી હતી. તેમની સાથે તબલા સંગતમાં શ્રી હિમાંશુભાઈ ભગત રહ્યા હતા. 
શ્રી વિશ્વમોહન ભટ્ટે પ્રશ્નોત્તરી તથા તેમની વાત દરમિયાન કહ્યું કે, દરેક વ્યક્તિને કશુંક લક્ષ્ય હોય છે, જે સિદ્ધ કરવા મથતા હોય છે. પોતે ભારતીય સંગીતને નવા સ્વરૂપ સાથે એટલે પૂર્વ અને પશ્ચિમના સંગીતના સમન્વય સાધી મોહનવિણા શોધન કર્યું. તેઓશ્રીએ કહ્યું કે લોકોમાં ખૂશીનો સંચાર થાય તે મારા સંગીતનો હેતુ છે. સંગીતથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.  
સ્પીકમેકે અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમના સંચાલનમાં શ્રી વિશાલભાઈ જોશી રહ્યા હતા. પ્રારંભે શ્રી હસમુખભાઈ દેવમુરારિએ સંગીતકારનો પરિચય આપ્યો હતો. અહીં સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ સંગીતકારોને ચરખાની કૃતિ ભેટ આપી હતી. 
સ્પીકમેકેના કાર્યકર્તા શ્રી ઉદયભાઈ ભટ્ટે શરૂઆતમાં કહ્યું કે સ્પીકમેકે એ કોઈ સંસ્થા જ નથી પરંતુ આ માટેની ચળવળ છે.