કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - સણોસરા કાર્યશાળા

દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો 
ખેડૂત અને ખેતરો સુધી પહોંચેલા છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - લોકભારતી સણોસરા ખાતે ત્રિદિવસીય કાર્યશાળા - તાલીમ કાર્યક્રમ પ્રારંભ

ઈશ્વરિયા શુક્રવાર
     કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - લોકભારતી સણોસરા દ્વારા ત્રિદિવસીય કાર્યશાળા અને તાલીમ કાર્યક્રમ પ્રારંભ કરાવતા ભારતીય કૃષિ સંશોધન પરિષદના સહાયક નિયામક શ્રી રણધીર સિંઘે કહ્યું કે દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો ખેડૂત અને ખેતર સુધી પહોંચેલા છે. 
     શુક્રવારથી પ્રારંભાયેલ ત્રિદિવસીય કાર્યશાળા અને તાલીમ કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો તેમજ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા કૃષિ વૈજ્ઞાનિકો સાથે સંશોધન અધિકારીઓ દ્વારા ક્ષેત્રિય તેલીબિયાં તેમજ કઠોળના પ્રયોગો અને સઁશોધનો પર થઈ શકતા અનુભવો વિષે ચર્ચા રજૂઆતો થઈ રહેલ છે. 
     કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા આ કાર્યક્રમ પ્રારંભ કરાવતા ભારતીય કૃષિ સંશોધન પરિષદના સહાયક નિયામક ( કૃષિ વિસ્તરણ ) શ્રી રણધીર સિંઘે લોકભારતીના કૃષિ સંશોધનોને બિરદાવી અહીં યોજાયેલ કાર્યશાળા અંગે આનંદ વ્યક્ત કર્યો. તેલીબિયાં અને કઠોળ પાકના વાવેતર તથા ખેડૂતોને પોષણક્ષમ ભાવો સાથે વૈશ્વિક કક્ષાએ આંકડાકીય વિગતો ઠ આપી પડકારરૂપ સ્થિતિમાં કામ કરવા પર ભાર મુક્યો. તેમણે ગૌરવ પણ વ્યક્ત કર્યું કે દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો એ ખેડૂત અને ખેતર સુધી પહોંચેલા છે. 
     લોકભારતી સંસ્થાના શ્રી રામચંદ્રભાઈ પંચોલી તથા શ્રી પ્રશાંતભાઈ ભટ્ટે અહીં સ્થાપના કાળથી શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ કાર્યમાં ગામડા અને ખેતીને કેન્દ્ર સ્થાને રખાયા અંગે વાત કરી. 
     કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી નિગમભાઇ શુક્લના સંચાલન સાથેના પ્રારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શ્રી દેવીદયાળજી, શ્રી ઠક્કર તથા શ્રી લખનસિંઘ દ્વારા આ કાર્યશાળા - તાલીમ અને લોકભારતી સન્દર્ભે વાતો કરી. આભારવિધિ શ્રી કાલેકર દ્વારા કરવામાં આવી.
     અહીં જોડાયેલા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ત્રણ દિવસ દરમિયાન પોતપોતાના ક્ષેત્રના સંશોધનો તથા તેલીબિયાં અને કઠોળ પાકની સંભાવના વિષે અભ્યાસ તારણો રજૂ કરી રહ્યા છે. સમાપન રવિવારે થનાર છે.