ગાંધી બાપુએ જે વિચારો આપ્યા હતા તે હેતુસર આ યાત્રા યોજી એ ક્રાતિકારી કામ કર્યુ છે. - શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરિત પદયાત્રા પ્રસ્થાન
ભાવનગરઃ બુધવાર
ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા ખાતેથી ગાંધીમુલ્યોના માર્ગે પદયાત્રાને રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગાંધી બાપુની વિચારધારાને ઉજાગર કરવાના હેતુથી કેન્દ્રીય રાજ્ય સડક પરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ મણારથી પદયાત્રા શરૂ કરી છે. આ કામ સામાજિક કામ છે સામાજિક સમસ્યાનો જવાબ ગાંધી વિચારધારામાં છે ગાંધી બાપુએ જે વિચારો આપ્યા હતા તે હેતુસર આ યાત્રા યોજી એ ક્રાતિકારી કામ કર્યુ છે.
આજે તા. ૧૬ જાન્યુઆરીના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે આવેલ ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા ખાતેથી ગાંધીમુલ્યોના માર્ગે પદયાત્રાને રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગાંધી બાપુની વિચારધારાને ઉજાગર કરવાના હેતુથી કેન્દ્રીય રાજ્ય સડક પરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ મણાર થી પદયાત્રા શરૂ કરી છે આ પદયાત્રા ૧૫૦ કિ.મીનુ અંતર કાપી શિહોર તાલુકાના સણોસરા ખાતે પહોચશે અને ત્યા આ કાર્યક્રમની પૂર્ણાહુતી થશે. આ કામ સામાજિક કામ છે સામાજિક સમસ્યાનો જવાબ ગાંધી વિચારધારામાં છે તેમ કહી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, ગાંધી બાપુએ જે વિચારો આપ્યા હતા તે હેતુસર આ યાત્રા યોજી અને મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ ક્રાતિકારી કામ કર્યુ છે.
કેન્દ્રીય રાજ્ય સડક પરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ પદયાત્રામાં મારી સાથે ૧૦૧ લોકો ચાલી રહ્યા છે પરંતુ આ પદયાત્રામાં જોડાવા માટે દેશના ૧૧,૦૦૦ યુવાનોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમ કહી તેમણે ઉમેર્યુ હતું કે, દેશના લોકો સમૃધ્ધ બની રહ્યા છે તેની સાથે સાથે સંસ્કારી સમાજ નિમાર્ણ કરવો એ પાયાનું કામ છે અને મને વિશ્વાસ છે કે આ પદયાત્રાના માધ્યમથી આ પાયાનું કામ થઇ શકશે મે આ પદયાત્રા નિહાળવા માટે દેશના ૧૦૦ ઉદ્યોગપતિને બોલાવ્યા છે તે લોકો બુનિયાદી શિક્ષણને સમજે તે ખુબ જ જરૂરી છે.
આ પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજયો હતો. ગ્રામ્ય કારીગરોનું મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ હતું. ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા મણારમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યુ હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી દર્શાવતા વાહનો પણ આ યાત્રામાં સાથે જોડાઇને લોકોને સરકારી યોજનાઓની માહિતી આપી રહ્યા છે.
સુરતના ત્રણ યુવાનો પૃથ્વી કાપડીયા, અભિષેક અંકલેશ્વરીયા, રાહિલ ગજ્જર સમગ્ર દેશમાં થઇને નેપાળમાં જઇને ગાંધીજીનું સ્વચ્છતા લક્ષી સંદેશો આપશે.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન શ્રી ગિરીશભાઇ શાહ, ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, મણાર સંસ્થાના શ્રી અરૂણભાઇ દવે, જિલ્લા પંચાયતના સભ્યશ્રી ગૌતમભાઇ ચૌહાણ, ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રી મનહરભાઇ મોરી, નાયબ મેયરશ્રી અશોકભાઇ બારૈયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, જિલ્લા ભાજપના પદાધિકારીશ્રી દિગ્વીજયસિંહ ગોહિલ, શ્રી દિલિપભાઇ શેટા, મણારના શ્રી ધનશ્યામસિંહ, જિલ્લા પોલીસવડાશ્રી પ્રવિણ માલ, સુરતના અગ્રણી શ્રી જગદીશભાઇ પટેલ, નિતિનભાઇ ભજીયાવાળા, તેમજ ગાંધીવાદી વિચારધારાના લોકો સંસ્થાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આમંત્રિતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.