એકતા યાત્રા

૨૦ થી ૨૯ ઓકટોબર તથા ૧૫ થી ૨૪ નવેમ્બર દરમિયાન 

ભાવનગર જિલ્લાના ગામોમાં એકતા યાત્રા રથ 

ભાવનગર

         સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન એક સંભારણું બને તેવા ભવ્ય કાર્યક્રમ, સરદાર પટેલના સંદેશને હાલના જનજીવનમાં તેની અગત્યતા સાથે લોકો સુધી પહોંચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવો અને સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવી તેમજ જ્ઞાતિ ધર્મથી પર રહી રાષ્ટ્રવાદ કેળવવાના વિષયોને આવરી લઇ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

      દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા.૩૧મી ઓકટોબરના રોજ વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થનાર છે. 

     સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવનની માહિતી જનજન સુધી પહોંચે તેમજ સામાજીક એકતા અને અખંડ ભારતનો સંદેશો પહોચાડવાના આશયથી એકતા યાત્રા- સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમનું રાજયવ્યાપી આયોજન બે તબક્કામાં કરવામાં આવનાર છે. આગામી પ્રથમ તબક્કામાં તા.૨૦/૧૦/૧૮ થી તા.૨૯/૧૦/૧૮ દરમિયાન તથા બીજા તબક્કામાં તા.૧૫/૧૧/૧૮ થી ૨૪/૧૧/૧૮ સુધી ભાવનગર જિલ્લાના ગામોમાં એકતા રથ ફરશે. 

     આ એકતા યાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવન કવન અને યોગદાન વિષયક નિબંધ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા, ચર્ચા સ્પધાર્ઓ યોજાશે તેમજ વિશેષ રથ સાથે રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિડીયો પણ પ્રદર્શિત કરાશે. ગામોમાં રાત્રી દરમિયાન કૃષિ વિષયક માહિતી, ખેડૂત સભા પણ યોજાશે.