લોકભારતી સણોસરા ખાતે વ્યાખ્યાન

ગીત અને સંગીતની પ્રસ્તુતિ સાથે

શ્રી ચારૂલ અને વિનય દ્વારા લોકભારતી સણોસરા ખાતે વ્યાખ્યાન

ઈશ્વરિયા,બુધવાર તા.૧૩/૧૨/૨૦૧૭

     લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે ગીત અને સંગીતની પ્રસ્તુતિ સાથે શ્રી ચારૂલ અને વિનય દ્વારા આગામી શનિવારના વ્યાખ્યાન અપાશે.

     આગામી શનિવાર તા.૧૬ ના લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વાર્ષિકોત્સવ પ્રસંગે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળાના છપ્પનમાં મણકાના બે વ્યાખ્યાન ગીત અને સંગીતની પ્રસ્તુતિ સાથે જાણિતા સમાજસેવી ગાયક જોડી શ્રી ચારુલ અને વિનય દ્વારા અપાશે. ‘અંતરર્નાદથી લોકનાદના સથવારે જીવનમૂલ્યો’ વિષય પરના આ વ્યાખ્યાન સંદર્ભે સંસ્થાના વડા શ્રી રઘુવીરભાઈ ચૌધરી, શ્રી અરુણભાઈ દવે અને શ્રી હસમુખભાઈ દેવમુરારિ સાથે સંસ્થા પરિવાર આયોજન તૈયારીમાં રહેલ છે.

     રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન પર નાટ્યકૃતિ ‘યુગપુરુષ: મહાત્માના મહાત્મા' રજુ થશે.