શ્રી નિર્દોષાનંદજી સરસ્વતિની પરંપરા માટે
અનૂયાયી શિષ્યની દીક્ષા વિધી સંપન્ન
ઋષિકેશ ખાતે શ્રી ભોલાનન્દજી બ્રહ્મચારી તથા શ્રી સદાનંદજી બ્રહ્મચારીની દિક્ષા વિધી થઇ
ઈશ્વરિયા,રવિવાર તા. ૨૬-૧૧-૨૦૧૭
બ્રહ્મલીન શ્રી નિર્દોષાનંદજી સરસ્વતિની ધર્મસેવા પરંપરા માટે અનુયાયી શિષ્યોની દિક્ષા વિધી સંપન્ન થઇ છે. ઋષિકેશ ખાતે શ્રી ભોલાનન્દજી બ્રહ્મચારી તથા શ્રી સદાનંદજી બ્રહ્મચારીની દિક્ષા વિધી થઇ છે.
ગોહિલવાડના ગૌરવ સમાન ટીંબી સ્થિત આરોગ્ય સંસ્થાના પ્રણેતા શ્રી નિર્દોષાનંદજી સરસ્વતિજી મહારાજ બુધવારે બ્રહ્મલીન થતા તેમના પાર્થિવદેહને ઋષિકેશ ખાતે ગંગામૈયામાં જળ સમાધિ દ્વારા વિસર્જિત કરાયેલ, જ્યાં સ્વામીજીની પરંપરાને આગળ ધપાવવા સ્વામીજીના અંતેવાસી શ્રી ભોલાનંદજી બ્રહ્મચારી તથા શ્રી સદાનન્દજી બ્રહ્મચારીની દિક્ષા વિધી થઇ છે.
બ્રહ્મલીન શ્રી નિર્દોષાનંદજી સરસ્વતિની ધર્મસેવા પરંપરા સાથે સંકળાયેલ સૌરાષ્ટ્ર ક્ષેત્રના પચ્ચીસ કરતા વધુ આશ્રમ ધર્મ સ્થાનોની સદ્પ્રવુત્તિ સતત વહેતી રહે તે માટે ઋષિકેશ ખાતે આશ્રમ પરિવારના અગ્રણી કાર્યકર્તા સેવક સંતોની ઉપસ્થિતિમાં ઉચિત ધાર્મિક દિક્ષા વિધી સંપન્ન થઇ છે. સ્વામી શ્રી દ્વારા જીવન પર્યત જીવ અને જીવના સમન્વય માટે આ પરંપરા માટે અનૂયાયી શિષ્યો શ્રી ભોલાનંન્દજી બ્રહ્મચારી તથા શ્રી સદાનંદજી બ્રહ્મચારીની થઇ છે.
સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતિજી આશ્રમ પરિવાર માટે આ અનૂયાયી સંતો સિવાય કોઈ પાસે અધિકારો રહેશે નહિ, તેમ પરિવારના આગેવાનો દ્વારા સૂચિત કરાયેલ છે.