અમદાવાદમાં વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન દ્વારા પ્રચાર વિભાગની બે દિવસીય અખિલ ભારતીય કાર્યશાળા
અમદાવાદ
વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન દ્વારા પ્રચાર વિભાગની બે દિવસીય અખિલ ભારતીય કાર્યશાળા ગુજરાતમાં ર્ડા.હેડગેવાર ભવન, કાંકરીયા અમદાવાદ ખાતે તારીખ ૩૦-૩૧ જાન્યુઆરીના યોજાઇ ગઇ.
આ અખિલ ભારતીય બેઠકમાં સમગ્ર દેશમાંથી દરેક રાજ્યના પ્રચાર પ્રમુખ , સોશિયલ મિડિયા પ્રમુખ અને સંવાદદાતા મળીને ૮૦ જેટલા પ્રમુખ કાર્યકર્તા ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર દેશભરમાં કોવીડ ૧૯ના કારણે ઉભી થયેલી વિકટ પરિસ્થીતીમાં વિદ્યાભારતી દ્વારા દેશભરમાં થયેલા સેવા કાર્યોની માહિતીની જાણકારી અપાઇ. દેશભરમાંથી આવેલ પ્રતિનીધીઓને સોશિયલ મિડિયાના માધ્યમથી વિદ્યાભારતીના કાર્યોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટેનું પ્રશિક્ષણ પણ કરવામાં આવ્યું. આગામી વર્ષની કાર્યયોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું. વિશેષ, સરકાર દ્વારા “રાષ્ટ્રીય શિક્ષા નીતિ-૨૦૨૦” સંદર્ભે સમગ્ર દેશમાં અસરકારક રીતે લાગુ કરવા સંબંધીત ચર્ચા પણ થઇ.
આ દ્વિદિવસીય બેઠકમાં વિદ્યાભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી જે.એમ.કાશીપતિજી, અખિલ ભારતીય મંત્રી શ્રી અવનીશજી ભટનાગર, અને અખિલ ભારતીય પ્રચાર વિભાગની ટોળીના સદસ્ય શ્રી રવિકુમારજી પૂર્ણ સમય ઉપસ્થિત રહીને માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ.
અખિલ ભારતીય મંત્રી શ્રી અવનીશજી ભટનાગરએ જણાવ્યું હતુ કે “વિદ્યાભારતીનું કામ ફક્ત વિદ્યાલયોનું સંચાલન કરવાનું જ નથી પરંતુ તેની સાથે સાથે ભારત કેંદ્રીત શિક્ષાનો પ્રચાર કરીને વિદ્યાર્થીને સંસ્કારીત બનાવીને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી દેશભક્ત નાગરીક નિર્માણ કરવાનું કામ છે. શિક્ષણના ક્ષેત્રમાં થતા નવા પ્રયોગો માટે પ્રચારની આવશ્યકતા છે.”