જમ્મુ કાશ્મીર આતંકીઓએ હત્યા કરી

22nd , August 2018

જમ્મુ કાશ્મીરના પુલવામામાં

ઇદની નમાજ કરીને આવતા પોલીસ અને 

ભાજપના સભ્યની આતંકીઓએ હત્યા કરી

એક પૂર્વ પોલીસકર્મીનું અપહરણ 

 પુલવામા

     જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ ઇદની નમાજ કરીને આવતા પોલીસ જવાન એસપીઓ ફૈયાઝ એહમદ અને  ભાજપના સભ્ય શાબિર એહમદ બટની હત્યા કરવામાં આવી છે.જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં મંગળવારે આતંકીઓએ એક પૂર્વ પોલીસકર્મીનું અપહરણ કરી લીધું છે.

     ઇદની નમાજ પછી એસપીઓ ફૈયાઝ એહમદ બહાર આવ્યાં તો આતંકીઓએ તેમની પર ગોળીઓ ચલાવી દીધી હતી. આ હુમલામાં ફૈયાઝની હત્યા થઇ છે. મોહમ્મદ રમઝાન શાહનો દિકરો ફૈયાઝ એહમદ ઇદગાહના જાજરીપોરામાં રહે છે.

     જમ્મુ કાશ્મીરના પુલવામા માં ભાજપના સભ્ય શાબિર એહમદ બટનો મૃતદેહ મળ્યો છે. શાબિરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મંગળવારે રાતે આતંકીઓએ ભાજપના જિલ્લાધ્યક્ષ શાબિરનું અપહરણ કરી લીધું હતું.

  પઠાણના રહેવાસી શાબિર 2014માં ભાજપની ટિકિટ પર પણ ચૂંટણી પણ લડ્યાં હતાં. 2017માં પણ આતંકીઓએ ભાજપના યૂથ પ્રેસિડેન્ટનું શાપિયાંથી અપહરણ કરીને તેનું મોત નીપજાવ્યું હતું. જેના થોડા દિવસ પછી તેનો મૃતદેહ પણ મળ્યો હતો.
     જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં મંગળવારે આતંકીઓએ એક પૂર્વ પોલીસકર્મીનું અપહરણ કરી લીધું છે. અપહરણ કરનાર વ્યક્તિનું નામ શકૂર એહમદ જણાવવામાં આવી રહ્યું છે. જે શોપિયાના કુમદલાન વિસ્તારમાં રહે છે. શકૂર એહમદ પહેલા શોપિયાંની સ્થાનિક પોલીસમાં જ કામ કરતા હતાં. જે પછી તે આતંકીઓની સાથે મળીને બાગી થઇ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી અને થોડા દિવસમાં તેને મુક્ત કરી દીધો હતો.