જાળિયામાં ગામ ધુમાડો બંધ પ્રસાદ ભોજન

જાળિયા મંગળવાર તા. 27-08-2019  
     જાળિયા ગામે આજે ગામ ધુમાડો બંધ પ્રસાદ ભોજન યોજાઈ ગયું. શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં ચાલતા યજ્ઞ પ્રસંગે હડમતિયા આશ્રમના શ્રી કાળુબાપુ તરફથી જાળિયા ગામમાં બપોરે સમૂહ ભોજન આપવામાં આવેલ. આ પ્રસાદ ભોજનમાં જાળિયા ગામ ઉપરાંત દૂર-સુદૂરના  ભાવિક સેવકોને પ્રસાદ ભોજન લાભ મળ્યો હતો.