પ્રયાગરાજ કુંભ મેળામાં - બાપા સીતારામ

જાળિયા સોમવાર તા.11-02-2019 

     વિશ્વ પ્રસિદ્ધ પ્રયાગરાજમાં ચાલી રહેલા અર્ધ કુંભ  મેળામાં શ્રી બજરંગદાસ બાપાના સેવક પરિવાર દ્વારા શ્રી મનજીબાપાના માર્ગદર્શન સાથે 'બાપા સીતારામ' નાદ થઈ રહ્યો છે. અહીં સત્સંગ સ્નાનમાં શિવકુંજ આશ્રમ - જાળિયાના શ્રી વિશ્વાનંદમયી દેવીજી જોડાયા હતા. બાપા સીતારામ અન્નક્ષેત્રમાં તિથિ પૂજા અને સાધુ સંતોને દક્ષિણા વિધિમાં તેઓ સામેલ થયા. શ્રી વિઠ્ઠલભાઈ તેજાણી અને અગ્રણીઓ ભાવિકો સાથે રહ્યા.