ઈશ્વરિયા સોમવાર તા. 03-06-2019
પ્રસ્તુત તસવીરમાં કઈ ખાસ વિષય વસ્તુ દશ્યમાન નથી... અને એ જ તો તેની પિડા છે. સમગ્ર વિશ્વ પર્યાવરણના થતા નાશથી ચિંતિત છે, પણ તેનાથી શું? માત્ર ચિંતા અને ચિંતન થયા કરે છે. 5 જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે, આ દિવસે કેટલાક કાર્યક્રમોમાં ભાષણો થશે, વૃક્ષ-રોપા વાવવામાં આવશે... પછી ખલ્લાસ... ગરમી વધે છે, વધવાની છે. વાતાનુકૂલિત વ્યવસ્થા થોડો આરામ આપશે પણ પછી શું...? માનવજાત માટે મોટો ભય ઉભો થઈ રહ્યો છે તેવું આ તસવીર સમજાવી રહી છે. સૂર્યાસ્તના સમયે આ સુકાયેલું વૃક્ષ ચિત્કાર કરે છે કે પછી આ ધગધગતા તાપમાનનો સ્વિકાર...? આપણી વિકાસ તરફની બેફામ દોટ પ્રકૃતિનું નખ્ખોદ કાઢી રહી છે... ચાલો, પર્યાવરણ દિવસમાં ચિંતન અને ચિંતા તો કરી લઈએ...!
તસવીર કથા : મૂકેશ પંડિત