જોઈ શકીએ અને માણી શકીએ તો...!

     કશાનો અસ્ત થાય તે આપણને ગમતી બાબત નથી, પરંતુ સૂર્યનો અસ્ત થાય ત્યારે સર્જાતી આકાશી રંગોળી અને આપણી નજરના સંજોગો ખુબ ગમી જાય છે, ઘણીવાર ત્યાં દષ્ટિ ચોંટી જ જાય છે. આંબલા ગામની સીમના શેઢેથી ખેંચાયેલી આ તસવીરમાં ખેતર - વાડીમાં ઉભેલી બાજરીના પાન - પત્તા પણ સુરજદાદાને બાથમાં લઇ વિદાય આપી ફરી પાછા કાલે આવી જજો એમ જણાવી ચૂમી લેતા હોય તેવું લાગે છે...! આવા તો કેટ - કેટલાયે દશ્યો સૂર્યાસ્ત વેળાએ માણવા મળે છે, જોઈ શકીએ અને માણી શકીએ તો...!    ( મૂકેશ પંડિત )