ગામ નાનું અને સેવા વિરાટ :
લખો દર્દીઓને નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળ્યો છે
ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા દવાખાનાનો સેવા યજ્ઞ
-------------------
સેવા સંસ્થા
-મૂકેશ પંડિત
(ઈશ્વરિયા )
------------------
'માનવ સેવા એ જ પ્રભુ સેવા' આ વાત,આ સૂત્ર સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ, મંદિરો, સંપ્રદાય અને તેના વિતંડાવાદમાં આપણે ક્યાં 'માનવ સેવા' ધ્યાનમાં લઈએ છીએ.?.! ધર્મ-સંપ્રદાયમાં લખ-લૂંટ દાન કરવામાં અને વાહ-વાહી લૂંટવામાં પડ્યા છીએ ત્યારે ગોહિલવાડના નાનકડા ટીંબી ગામમાં ખરા શિવ ઉપાસક અને માનવ જીવનની સંવેદના પામી ગયેલા અને તેમાં જ ભગવાન જોનારા સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતી મહારાજની પ્રેરણાથી દવાખાનાની સ્થાપના કરવામાં આવી, જ્યાં આજ સુધીમાં લાખો દર્દીઓને નવજીવન મળ્યું છે.
(અધૂરી તસવીર - વિગત )